વલસાડના સુખાલા ખાતે સમભાવ સત્સંગ પરિવાર દ્વારા 51 દીકરીઓનો 12મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો
Live TV
-
વલસાડના નાનાપોઢા સ્થિત સુખાલા ખાતે સમભાવ સત્સંગ પરિવાર દ્વારા 51 દીકરીઓનો 12મો સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવાના હેતુ સાથે યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં તમામ કન્યાઓને કરિયાવર ભેટ આપવામા આવ્યો હતો. સમભાવ સત્સંગ પરિવાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 577 દીકરીઓના લગ્ન કરાવી સામાજિક સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ, ધારાસભ્ય અરવિંદ પટેલ અને વલસાડ જિલ્લાના અન્ય ધારાસભ્યો તથા અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
