બિન શૈક્ષણિક કર્મચારીઓને પટાવાળા વર્ગ-4ના કર્મચારીની બઢતની ખાતાકીય પરીક્ષા માટેનો અભ્યાસક્રમ નક્કી કરાયો
Live TV
-
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને પટાવાળા વર્ગ-4માંથી જુનિયર કારકુન વર્ગ-3માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરાવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષા માટે કર્મચારીએ ખાતાકીય પરીક્ષાના અભ્યાસક્રમમાં પરીક્ષાના 3 વિષયના પ્રશ્નપત્રો આપવામાં આવશે. જેમાં પરીક્ષાર્થી કોઈ એક વિષયમાં 50% કે તેથી વધુ ગુણ મેળવે તો પરીક્ષાર્થીને તે વિષયમાંથી પૂરતી મુકિત આપવામાં આવશે. જો કોઈ પરિક્ષાર્થી એક વિષયમાં નાપાસ જાહેર થતો હોય તો તેવા કિસ્સામાં તે પરીક્ષાર્થીને માત્ર તે જ વિષય ધુમાં વધુ 5 કૃપા ગુણ આપી શકાશે. રાજ્ય સકકારના આ નિર્ણયના કારણે ઘણા વર્ગ - 4ના કર્મચારીઓના બઢતીના અને વર્ગ -3માં સામેલ થવાના સપનાઓ સાકાર થશે.
