બી.એડના નવા અભ્યાસક્રમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિમોચન
Live TV
-
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા તૈયાર કરાયેલા બી.એડના નવા અભ્યાસક્રમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરી બહેન દવે અને IITEના કુલપતિ ડૉ.હર્ષદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નવી પેઢીના બાળકોને તાલીમ આપતા ગુણવત્તાયુક્ત શિક્ષકોને તૈયાર કરવા માટે શિક્ષણ અને પ્રશિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ બી.એડના અભ્યાસક્રમને ચાર વર્ષના ઈન્ટિગ્રેટેડ ડિગ્રી અભ્યાસક્રમ સાથે જોડવાનું સુચન કર્યું હતું.
