મહીસાગરના લુણાવાડામાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો, વહીવટી તંત્ર સતર્ક બન્યું
Live TV
-
મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જેને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
લુણાવાડામાં 30 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડની સૂચના અનુસાર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા નગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ ગ્રસ્ત વિસ્તારમાં સાંજના સમયે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ઘટાડી ડેન્ગ્યુના કેસોમાં નિયંત્રણ લાવી શકાય.
