બોટાદના સમઢિયાળા પાસે કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા
Live TV
-
બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે બરવાળા -બોટાદના મુખ્ય પ્રવેશ એવા બરવાળાના સમઢિયાળા પાટિયા પાસે કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવેલ છે.
આ માર્ગ ઉપરથી અમદાવાદ ,વડોદરા અને સુરતથી બોટાદ પ્રવેશતા તમામ ખાનગી વાહનોમાં બેઠેલા તમામ મુસાફરોનું મેડિકલ રેપીડ ચેકીંગ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને તરત જ સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
