ભાવનગરના 304મા સ્થાપના દિવસે નારિ શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો
Live TV
-
ભાવનગર ના 304મા સ્થાપના દિવસે નારિ શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર રેલવે સ્ટેશન એ દેશનું એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં મહિલા કુલીઓ સેવા આપે છે, જેનો શ્રેય ભાવનગરના રાજવી શાસનને જાય છે. આજના સ્થાપના દિવસે પાલીતાણા સ્થિત વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે “નારી શક્તિ વંદના” કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કુલીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભાવનગરનું નામ દેશ-વિદેશમાં રોશન કરનાર પેરા ઓલમ્પિક ખેલાડીઓ તથા એથ્લેટિક્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
