મહીસાગરમાં સંગ્રહકો, ,સંશોધકો, કલાકારોની ચાય પે ચર્ચા
Live TV
-
ગુજરાતના હેરીટેજ પ્રવાસન સ્થળોને ઉજાગર કરતા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા, મહીસાગર જિલ્લાની હેરીટેજ સાઈટ કલેશ્વરી ખાતે, સંગ્રાહકો, સંશોધકો, કલાકારો, ભવ્ય વારસા પ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા, ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઐતિહાસિક વારસાની જાળવણી અને તેના સંવર્ધન માટે, મુક્ત મને લોકોએ ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત જાણીતા ચિત્રકાર બીપીન પટેલ અને બૌદ્ધિઝમના ચિત્રકાર અજયસિંહ સ્વામીનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
