મુખ્યમંત્રી દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કરાણે 16000 જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવાયેલી કુલ 18 હજાર 232 એકર જમીનની જૂની શરતોને આધારે ફાળવણી કરવામાં આવશે. હવે પુનર્વશનના લાભાર્થીઓ પોતાના જમીન / મકાન / પ્લોટ ઉપર ધિરાણ મેળવી શકાશે તથા તેના ખરીદ વેચાણ પણ કરી શકાશે.
