મુખ્યમંત્રીના આહવાનને જૂનાગઢનો પ્રતિસાદ
Live TV
-
મુખ્યમંત્રીના આહવાનને જૂનાગઢનો પ્રતિસાદ: યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરી નાગરિકો બની રહ્યા છે તંદુરસ્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોગ દ્વારા મેદસ્વિતા (Obesity) ને નાથવાનો અને ગુજરાતના નાગરિકોને સુખાકારી પ્રદાન કરવાનો નિર્ધાર કર્યો છે. આ હેતુને સાર્થક કરવા માટે જૂનાગઢના બોટનિકલ ગાર્ડન ખાતે વહેલી સવારે યોગ ટીચરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો નિયમિત યોગ, યોગ્ય આહાર અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવીને પોતાનું વજન ઘટાડી રહ્યા છે. તંદુરસ્ત રહેવા માટે 'યોગ, કસરત, આહાર અને વિહાર' - આ ચાર સ્તંભો પર ભાર મૂકીને જૂનાગઢવાસીઓ રાજ્ય સરકારના 'સ્વસ્થ ગુજરાત'ના ઉદ્દેશને સફળ બનાવી રહ્યા છે.
બોટનિકલ ગાર્ડન ખાતે દરરોજ વહેલી સવારે યોગ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. અનેક લોકોએ યોગ, સંતુલિત આહાર અને વ્યાયામ દ્વારા વજન ઘટાડીને સરકારના આ ઉદ્દેશને સાર્થક કર્યો છે.
