Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ‘માટી મૂર્તિ મેળા’નું સફળ આયોજન: 5 વર્ષમાં 15.51 કરોડ રૂ.નું વેચાણ

Live TV

X
  • મુખ્યમંત્રીના નેતૃત્વમાં ‘માટી મૂર્તિ મેળા’નું સફળ આયોજન: 5 વર્ષમાં 15.51 કરોડ રૂ.નું વેચાણ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ‘માટી મૂર્તિ મેળા’ નું આયોજન કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) ની મૂર્તિઓના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવાનો અને ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ ના કારીગરોને ટેકો આપવાનો છે.

    પાછલા પાંચ વર્ષના પરિણામો

    છેલ્લા પાંચ વર્ષમાં, આ મેળાએ નોંધપાત્ર સફળતા મેળવી છે:

    વેચાણ: ગણેશોત્સવ દરમિયાન, 20 જેટલા મેળાઓમાં કુલ 1,702 કારીગરો દ્વારા ₹15.51 કરોડ ની માટીની મૂર્તિઓનું વેચાણ થયું છે.

    સરકારી સહાય: રાજ્ય સરકારે મેળાઓના આયોજન માટે ₹1.51 કરોડથી વધુ ની સહાય પણ ચૂકવી છે.

    2025ના માટી મૂર્તિ મેળાનું આયોજન

    કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે પણ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા તા. 21 થી 27 ઓગસ્ટ, 2025 દરમિયાન 'માટી મૂર્તિ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે.

    સ્થળો: અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં વિવિધ પાંચ સ્થળોએ આ મેળા યોજાશે.

    કારીગરો માટે લાભ: સંસ્થામાં નોંધાયેલા કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવશે અને તેમને રોજ ₹1,000 લેખે મેળા સહાય પણ ચૂકવવામાં આવશે.

    કાચા માલની ઉપલબ્ધતા: આ વર્ષે અત્યાર સુધીમાં, રાજ્યના 390 કારીગરોને અંદાજે 231 ટન ‘રેડી ટુ યુઝ’ માટીનું વિતરણ કરવામાં આવ્યું છે.

    સરકારી યોજના અને જનજાગૃતિ

    રાજ્ય સરકારની પ્રોત્સાહન યોજના હેઠળ, નોંધાયેલા કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે 50% સહાય થી 'રેડી ટુ યુઝ' માટી આપવામાં આવે છે.

    આ ઉપરાંત, નાગરિકોમાં માટીની મૂર્તિઓના ઉપયોગ વિશે જાગૃતિ લાવવા માટે હોર્ડિંગ્સ, ટીવી ક્વિકી, રેડિયો જિંગલ્સ અને ડિજિટલ મીડિયા જેવા વિવિધ માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવે છે. શાળાઓમાં જીવંત નિદર્શન દ્વારા યુવા પેઢીને પણ પર્યાવરણીય જવાબદારી પ્રત્યે જાગૃત કરવામાં આવી રહી છે.

    PoP મૂર્તિઓથી પર્યાવરણને નુકસાન

    વર્ષ 2014-15 સુધીમાં, PoP મૂર્તિઓનો વ્યાપક ઉપયોગ થતો હતો. પરંતુ PoP માં રહેલા જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ, અને મેગ્નેશ્યમ જેવા તત્વો પાણીમાં ભળતા નથી અને પાણીને ઝેરી બનાવે છે. આ ઉપરાંત, મૂર્તિઓ પર વપરાતા રાસાયણિક રંગોમાં મરક્યુરી, લીડ, કેડમિયમ અને કાર્બન જેવા તત્વો પણ પાણીના કુદરતી સ્ત્રોતોને ભારે નુકસાન પહોંચાડે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે વર્ષ 2015-16 થી માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજનાનું અમલીકરણ શરૂ કર્યું છે.

    સ્ટોલ મેળવવા માટેની માહિતી

    માટી અને વેચાણના સ્ટોલ મેળવવા ઈચ્છતા કારીગરોએ ઈ-કુટીર પોર્ટલ https://e-kutir.gujarat.gov.in/ પર અરજી કરી નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની કચેરીના ટેલિફોન નંબર 079-23251681-57 પર સંપર્ક કરી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply