મુખ્યમંત્રીના હસ્તે છોટાઉદેપુરને આવતીકાલે ૧૩૬ કરોડ રૂ.ના પ૬ વિકાસ કામોની મળશે ભેટ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા. પ મી મે ના દિવસે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાને રૂ. ૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂર્હતની ભેટ આપશે.
મુખ્યમંત્રી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા માટે રૂ. ૮૬.ર૧ કરોડની ૪ જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ૧ર કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જેટલા રોડ-રસ્તાના કામો તેમજ જિલ્લામાં જુદાજુદા ગામો-સેજામાં રૂ. ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી ર૯ નવી આંગણવાડીઓના લોકાર્પણ કરવાના છે.
આવતીકાલ, તા.પ મી મે ગુરૂવારે સવારે ૧૦ કલાકે છોટાઉદેપુરની એસ.એમ. કોલેજના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં જળસંપત્તિ-પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા માટે રૂ. ૩૧.પ૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧પ જેટલા રોડ-રસ્તા કામોનું ભૂમિપૂજન પણ કરવાના છે.
