મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ અરજદારોની સમસ્યાઓ-રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને નાગરિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી દ્વારા સંબંધિત અધિકારીઓને નાગરિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સુચનાઓ આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે વર્ષ 2003થી દર મહિનાના ચોથા ગુરુવારે સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જેના દ્વારા નાગરિકોના પ્રશ્નોને સીધા સાંભળવામાં આવે છે. અલગ અલગ જિલ્લા સ્તરે પણ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા સ્તરે કાર્યક્રમની અધ્યક્ષતા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે.
