મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગર પંચદેવ મંદિરના કર્યા દર્શન
Live TV
-
આજથી વિક્રમ સવંત 2081ની શરૂઆત થઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે દર્શન કર્યા હતા. પંચદેવ મંદિરે દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી અડાલજ ત્રિમંદિર પહોંચ્યા હતા જ્યાં દર્શન કરીને તેઓએ રાજ્યના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી નિવાસ સ્થાન ખાતે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
આજથી વિક્રમ સંવત 2081નો મંગળ પ્રારંભ થયો છે.. નુતન વર્ષ નિમિત્તે રાજ્યના વિવિધ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે તો ભગવાનને અન્નકૂટ પણ ધરાવાયો છે. તો ભગવાનના દર્શન માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે...નાગરિકો એકબીજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છે.
