મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન દ્વારકા ધીશના કર્યા દર્શન
Live TV
-
યાત્રાધામ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા -મુખ્યમંત્રીએ ખંભાળિયા ખાતે જિલ્લા પોલીસ ભવન તેમજ ભણવદ ખાતે નવી બનેલ તાલુકા પંચાયત કચેરી સહિત 15 કરોડ જેટલી લોકઉપયોગી કચેરીઓનું કર્યુ લોકાર્પણ
દ્વારકાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોક ઉપયોગ માટે વિવિધ નવીન કચેરીઓનું લોકાર્પણ કર્યુ હતું. જેમાં ખંભાળીયા ખાતે રૂપિયા 10.65 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિલ્લા પોલીસ ભુવન તથા ભાણવડ ખાતે રૂપિયા 4.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ ખંભાલિયા એ.પી.એમ.સી ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સતત છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્નશીલ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આર સી ફળદુ, જવાહર ચાવડા, સાંસદ પૂનમ માડમ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા. જાહેર સભા બાદ મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા ખાતે રવાના થયા હતા
