મોરબી: પેટાચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસમાંથી સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા
Live TV
-
મોરબી : માળિયા વિધાનસભા મત વિસ્તારમાં પેટાચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસમાંથી સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા, જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કંઝારિયા, રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અને મોરબી જિલ્લા પ્રમુખ, મહામંત્રી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા તથા પદાધિકારીઓએ સૌનું સ્વાગત કર્યું હતું તથા જણાવ્યું હતું કે, તેમના જોડાવાથી ભાજપની તાકાત વધશે તથા આગામી મોરબી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય એ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
