રાજકોટના ધોરાજીમાં ડ્રોન દ્વારા રાસાયણિક દવાનો છટકાવ કરીને ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા
Live TV
-
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડ્રોન દ્વારા રાસાયણિક દવાનો છટકાવ કરીને ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. ડ્રોન દ્વારા માત્ર 10 જ મિનિટમાં અઢી વિઘા જમીન પર દવાનો છટકાવ થતો હોવાથી ખેડ઼ૂતોને પંપથી આગામી સમયમાં મુક્તિ મળશે. સાથેસાથે ખેડૂતો આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ડ્રોનથી દવાનો છટકાવ કરવા માટે ખેડૂતોને સોશિયલ મિડીયાના માધ્યમથી સંદેશો આપીને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
