રાજ્યના પોલીસ વડા અમદાવાદ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું કર્યું નિરીક્ષણ
Live TV
-
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું.
