રાજ્યમાં કોરોનાનાં 258 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 97.72 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 258 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 270 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 97.72 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 2,60,745 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 258 કેસ નોંધાયા છે. તો 270 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 97.72 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 8,12,333 વ્યકતિઓનું પ્રથમ ડોઝ અને 51,236 વ્યકતિઓના દ્વિતિય ડોઝનું રસીકરણ પૂર્ણ.
સુરતમાં 51, અમદાવાદમાં 45, વડોદરામાં 49, રાજકોટમાં 5, ગાંધીનગરમાં 9, જામનગરમાં 3, મહેસાણામાં 3, ભરૂચમાં 3, નર્મદામાં 2, જૂનાગઢમાં 7, ભાવનગરમાં 3, સુરેન્દ્રનગરમાં 23, મોરબીમાં 3, અમરેલીમાં 3 કેસ નોંધાયા છે.
