GTUના 2 અધ્યાપકોની કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ
Live TV
-
કેન્દ્રીયશિક્ષણ મંત્રાલય દ્વારા GTUના 2 અધ્યાપકોની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિકરાઈ. GTUની યાદીના જણાવ્યાં મુજબ એઆઈસીટીઈ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલાયનાઈનોવેશન સેલ દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટના અધ્યાપક ડૉ.કૌશલભટ્ટ અને શ્રી તુષાર પંચાલની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આગામીસમયમાં તેઓ રાજ્યમાં ઈનોવેશન, ડિઝાઈન થિકિંગ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટપ્રોગ્રામ અને ઈનોવેશન સંબધીત સરકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરશે. દરમિયાન આ સિદ્ધિ બદ્દલ જીટીયુના કુલપતિપ્રો.ડૉ. નવીન શેઠ અને કુલ સચિવ ડૉ.કે.એન.ખેરે બન્ને અધ્યાપકોની નિમણૂક બદલઅભિનંદન પાઠવ્યા છે.
