રાજ્યમાં કોરોનાના નવા 1327 કેસ નોંધાયા, તો 13 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1327 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1405 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 85.94 ટકા થયો છે.
આજે રાજ્યમાં કુલ 57,513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,23,770 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16745 છે, જેમાંથી 94 વેન્ટિલેટર પર અને 16651 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 13 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3512 પર પહોંચ્યો છે.
આજે સુરત જિલ્લામાં નવા 276 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 187 કેસ અને રાજકોટમાં નવા 155 કેસ નોંધાયા છે.
