રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 305 કેસ નોધાયા, 05 દર્દીનાં મોત
Live TV
-
આજે અમદાવાદ શહેરમાં કોરોનાના 120 કેસ, વડોદરા શહેરમાં 40, વડોદરા જિલ્લામાં 29, બનાસકાંઠામાં 17, પાટણમાં 11, ગાંધીનગર શહેરમાં 10, સુરતમાં 9, સુરત કોર્પોરેશનમાં 08, ગાંધીનગરમાં 07, રાજકોટ કોર્પોરેશનમાં 07, ડાંગમાં 06, આણંદ, ભરૂચમાં 05-05, કચ્છમાં 04, અમદાવાદ, અમરેલી, દાહોદ, મોરબીમાં 3-3 કેસ, ગીર સોમનાથમાં, ખેડા, મહેસાણા, પંચમહાલમાં 2-2 કેસ,ભાવનગર શહેર, જામનગર શહેર, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોના વાયરસના હવે 3386 એક્ટિવ કેસ છે. જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 3353 દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 839 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યમાંથી અત્યારસુધીમાં 12,07,284 દર્દીઓ સાજા થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 10,911 દર્દીઓ છે.
