રાજ્યમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધવાથી સરકાર ચિંતિત
Live TV
-
ગુજરાત રાજ્યમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધવાને કારણે સરકાર ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા બાળ મૃત્યુ પ્રમાણ ઓછું કરવા માટે બાળ સખા-3 પ્રોજેક્ટ હેઠળ હવે ગુજરાત સરકારે બાળકો ની પ્રાઇવેટ હોસ્પિટલ ને પણ આવરી લેતા સમગ્ર ખેડા જિલ્લા માં કુલ-6 પ્રાઈવેટ હોસ્પિટલો ને મંજૂરી આપી છે.
ગુજરાત રાજ્યમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધવાને કારણે સરકાર ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા બાળ મૃત્યુ પ્રમાણ ઓછું કરવા માટે બાળ સખા-3 પ્રોજેક્ટ હેઠળ હવે ગુજરાત સરકારે બાળકો ની પ્રાઇવેટ હોસ્પિટલ ને પણ આવરી લેતા સમગ્ર ખેડા જિલ્લા માં કુલ-6 પ્રાઈવેટ હોસ્પિટલો ને મંજૂરી આપી છે. જેમાં નડિયાદ ખાતે ચાર ડાકોર- એક અને કપડવંજમાં એકને મંજૂરી આપી છે. પરિવાર ની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા બાળકો ના વાલીઓ પોતાના બાળક ને તત્કાળ સેવા આપી શકતા નહોતા જે હવે ખાનગી હોસ્પિટલ માં પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવે આ યોજના માં બાળકો ની પ્રાઇવેટ હોસ્પિટલ ને પણ સમાવેશ થવા ને કારણે જન્મેલા બાળકથી અઠ્ઠાવીસ દિવસ સુધી ના ક્રિટિકલ પરિસ્થિતિવાળા બાળકો ના પરિવાર જેઓ ની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા પરિવારો પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલ માં બાળક ને તત્કાળ દાખલ કરતાં. બાળ સખા યોજના આવા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અહીં ની તત્કાળ સેવા માં નાત જાત ના કોઇ જ ભેદભાવ રાખવા માં આવ્યા નથી.ગુજરાત સરકાર ની બાળ સખા યોજના નો લાભ મળતા પરિવાર જનો એ સરકારની યોજનાને બીરદાવી હતી.
