રાજ્યસભાની ખાલી થયેલી 2 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ
Live TV
-
રાજ્યસભામાં ખાલી થયેલી 2 બેઠકો માટે ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા થયા હતા. ચૂંટણી અધિકારી C.B. પંડ્યા દ્વારા , રામભાઈ મોકરિયા તેમજ દિનેશભાઈ પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસ સાસંદ અહેમદ પટેલના અવસાન બાદ ખાલી થયેલ બેઠકમાં દિનેશભાઈ પ્રજાપતિ અને કિરીટ સિંહ રાણાએ BJP વતી ફોર્મ ભર્યું હતું. જ્યારે અભય ભારદ્વાજના અવસાન બાદ ખાલી થયેલ બેઠક માટે રામભાઈ મોકરિયા અને રજનીભાઇ પટેલ દ્વારા BJP તરફથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. 20 ફેબ્રુઆરીના રોજ રજનીભાઇ પટેલ અને કિરીટ સિંહે પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા.
