વડોદરા શહેરના બાપોદ અને કમલાનગર તળાવ ખાતે કરાયું છઠ્ઠ પૂજાનું આયોજન
Live TV
-
દિવાળીના તહેવારોમાં લાભપંચમ બાદ આવતી છઠ્ઠ પૂજાનું વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજન અર્ચન કરતા અર્ધ્ય આપતા સમાપન થયું હતું.
દિવાળીના તહેવારોમાં લાભપંચમ બાદ આવતી છઠ્ઠ પૂજાનું વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજન અર્ચન કરતા અર્ધ્ય આપતા સમાપન થયું હતું. વડોદરા શહેરના બાપોદ અને કમલાનગર તળાવ ખાતે પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજે ત્રીજા દિવસે હજારોની સંખ્યામાં પૂર્વ ઉત્તર ભારતીયોએ છઠ પૂજામાં સહભાગી થયા હતા. આ પૂજાનું મહત્વ એ છે કે 36 કલાકના ઉપવાસ કરવામાં આવે છે. તેમજ પ્રથમ ડૂબતા સૂરજને ફળ મીઠાઈ અને શાકભાજી તેમજ શેરડીની પ્રસાદી ધરાવીને અર્ધ્ય આપવામાં આવે છે. ત્યાર બાદ બીજા દિવસે ઉગતા સૂર્યની પૂજા અર્ચના કરીને અર્ધ્ય આપવામાં આવે છે.
