વલસાડના ધરમપુર ખાતે અમિત શાહે જાહેર સભાને સંબોધી
Live TV
-
વલસાડના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી
લોકસભાના ત્રીજા તબક્કા માટે પ્રચાર ચરમસીમા પર છે. રાજ્યની 26 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. ત્યારે વલસાડના ધરમપુર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે આદિવાસીઓ માટે જે કામ કર્યા છે, એ અન્ય કોઈ સરકારમાં થયા નથી. આ ઉપરાંત અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી વલસાડના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલને જંગી બહુમતીથી જીતડવાની અપીલ કરી હતી.આ અગાઉ અમિત શાહે છોટાઉદેપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
