"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ભરૂચના સરદારપુરા ગામે પહોંચી
Live TV
-
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આજે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અત્યંત અંતરિયાળ એવા સરદારપુરા ગામે આવી હતી. ગામમાં યાત્રા આવતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંકલ્પ યાત્રા સાથે આવેલ રથમાં રાખેલ LED સ્ક્રીન પર ચાલતા સંદેશા ચીત્રણથી ગ્રામજનો પ્રભાવિત થયા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કાર્યક્રમ સ્થળે આંગણવાડી, આરોગ્ય, બેન્ક, આયુષ્યમાન કાર્ડ અને ઉજ્જવલા યોજના સહિત વિવિધ વિભાગોના સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા. આ પ્રસંગે સરદારપુરા ગામના સરપંચ, અને સ્થાનિક જનપ્રતિનિધિ, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.
