વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની ભારત મુલાકાત: વ્યાપાર અને સપ્લાય ચેઈન સંબંધોને મળશે વેગ
Live TV
-
નવી દિલ્હી:ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની ભારત મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
વર્ષ 2016 માં શરૂ થયેલી 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી' હેઠળ બંને દેશો હવે આર્થિક સહયોગના નવા માળખા તરફ આગળ વધી રહ્યા છે.વર્ષ 2016માં જે દ્વિપક્ષીય વ્યાપાર 5.4 અબજ ડોલર હતો, તે 2025 માં વધીને રેકોર્ડ 16.46 અબજ ડોલર પર પહોંચ્યો છે.ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ વ્યાપારમાં 28%નો મજબૂત વધારો જોવા મળ્યો છે.આયાત-નિકાસ: વિયેતનામ ભારતને ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરી પૂરી પાડે છે, જ્યારે ભારત વિયેતનામને ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ અને ટેક્સટાઈલ મટીરિયલની નિકાસ કરે છે.
બંને દેશોની અર્થવ્યવસ્થા હવે એકબીજાની પૂરક બની રહી છે. ભારત સોફ્ટવેર અને ફાર્મા ક્ષેત્રે મજબૂત છે, જ્યારે વિયેતનામ મેન્યુફેક્ચરિંગમાં આગળ છે. રોકાણના ક્ષેત્રે પણ મોટી પ્રગતિ થઈ રહી છે:વિયેતનામની 'વિંગ્રુપ' કંપની તમિલનાડુમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.ભારતીય કંપનીઓ વિયેતનામના 20 થી વધુ પ્રાંતોમાં વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે.નિષ્ણાતોના મતે, વૈશ્વિક કંપનીઓ જ્યારે ચીન સિવાયના અન્ય વિકલ્પો શોધી રહી છે, ત્યારે ભારત અને વિયેતનામ પ્રાદેશિક સપ્લાય ચેઈનમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ડિજિટલ ટેકનોલોજી, ઉર્જા અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધવાની પુરી શક્યતા છે.
