શિક્ષણ વિભાગ: "ધોરણ એક થી આઠ માં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી"
Live TV
-
શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ એક થી આઠમાં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી ચાલી રહી. છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે એમ શિક્ષણ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે. ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.
