સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ ખાતે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂંક કરી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહત્વનો જનહિત લક્ષી નિર્ણય કર્યો છે. હવે જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોનો ઝડપી અને પારદર્શી નિકાલ થશે. આ માટે સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ ખાતે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂંક કરી છે. આ નિર્ણયના કારણે ખેડૂતોના વળતર સંબંધી પ્રશ્નો સંદર્ભે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ઝડપથી નિકાલ થશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ ,વધારાની ફાજલ જાહેર કરેલ જમીનો સંબંધે ,સત્તાનું વિકેંદ્રીકરણ કરીને ,કલેકટરશ્રીઓને "ના વાંધા પ્રમાણપત્ર" આપવા વધુ સત્તા અપાઇ છે. તો સાથે જ તેમણે જણાવ્યું કે, મહેસૂલી કર્મચારીઓની ખાતાકીય તપાસ હેઠળના કેસોના નિકાલ માટે ,લોક અદાલત જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે
