સાબરમતી રીવરફ્રન્ટ ખાતે સી પ્લેન એરોડ્રોમ બનાવવા જમીનની ફાળવણી
Live TV
-
આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક યોજાઈ હતી. જેમાં રજૂ થયેલ 35 કામો પર ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાયા છે. જે અંગે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટે આ નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યુ કે, રૂપિયા 25 કરોડના ખર્ચે વટવા ખાતે ખારી નદી પર રિવર બ્રિજ બનાવવાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. વિનોબાભાવે નગર તથા વિવેકાનંદ નગર વચ્ચે પુલ નિર્માણ થશે, જેથી નાગરીકોને અવર જવરમાં સરળતા રહેશે. 12 કરોડના ખર્ચે નવરંગપુરા અને નારણપુરામાં રસ્તા સુધારવામાં આવશે. 5 કરોડના ખર્ચે જોધપુરના ખર્ચે જિમ્નેશિયમ અને લાયબ્રેરી તૈયાર કરાશે. જ્યારે વોડર એરોડ્રામ માટે સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે 4 હજાર 47 ચોરસ મીટર ફાળવવાને મંજૂરી મળી છે.
