સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 175માં શતામૃત મહોત્સવની ઉજવણી
Live TV
-
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હાલ ભવ્ય રીતે 175માં શતામૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો દાદાના આ ઉત્સવમાં આવી દર્શનનો લાભ લઈ રહ્યા છે.
ત્યારે મંદિર વિભાગ દ્રારા પણ આવનાર તમામ હરિભક્તોને ભાવથી ભોજન મળી રહે તે માટે ભવ્યાતિભવ્ય રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મીઠાઈ, દાળ, રોટલી તેમજ શાક વિભાગ દ્વારા રોજ બપોરે તેમજ સાંજના ભોજન પ્રસાદમાં આશરે લાખો લોકોનું ભોજન બનાવવામાં આવી રહ્યું છે.
શતામૃત મહોત્સવમાં આશરે 1,50,000 લોકો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. તે ઉપરાંત અહીં શતામૃત મહોત્સવમાં 1000 થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.
