સાહિત્યકાર અને કૉલમિસ્ટ બકુલ બક્ષી 77 વર્ષની વયે દુનિયામાંથી લીધી વિદાય
Live TV
-
બકુલ બક્ષીએ ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી તરીકે ફરજ બજાવી હતી.
જાણીતા સાહિત્યકાર અને કૉલમિસ્ટ બકુલ બક્ષીએ ગુરુવારે 77 વર્ષની વયે દુનિયામાંથી વિદાય લીધી છે. બકુલ બક્ષીએ ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી તરીકે ફરજ બજાવી, એ પછી જીવનના ઉતરાર્ધમાં સાહિત્યકાર-લેખક તરીકે તેમણે ઉત્તમ સર્જન કર્યું. તેમના પ્રથમ વાર્તા સંગ્રહ મજલિસને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું હતું. તેમણે વાર્તાઓ ઉપરાંત નિબંધો પણ લખેલા. થોડીક કવિતાઓ પણ લખી હતી. તેમની લઘુનવલ ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી. તો તેમની કેટલીક વાર્તાઓના અનુવાદ હિન્દી, અંગ્રેજી અને મલયાલમમાં છપાયા હતા. તેમણાં જાણીતા પુસ્તકોમાં 1857, વિરાસત, રાગ અતીત, રાજ દરબાર, તસવીર, બા-અદબ, અસ્મિતાનો ચહેરો, મોનાલીસા, ઓટોગ્રાફ, અંજુમન, જીવન બદલી નાખે એવાં 75 પ્રેરણાત્મક પુસ્તકો તેમણએ લખ્યા છે.
