મુખ્યપ્રધાનના રાજીનામાની વાત ખોટી: જિતુભાઇ વાઘાણી
Live TV
-
અફવા ફેલાવનારાઓ માત્ર મિડિયામાં રહેવા માટે જ જૂઠાણાં ફેલાવે છે: મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવી અફવાઓને રદિયો આપ્યો હતો. કે કેબિનેટમાં તેમણે રાજીનામું આપ્યું છે. મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરતા ભારપૂર્વક કહ્યું હતું, કે અફવા ફેલાવનારાઓ માત્ર મિડિયામાં રહેવા માટે જ જૂઠાણાં ફેલાવે છે. તેમને વ્યવસ્થાની જ ખબર નથી, કે મુખ્યપ્રધાને રાજ્યપાલને રાજીનામું આપવાનું હોય અને નહીં કે કેબિનેટમાં. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ પણ આ અફવાને હસી કાઢતા કહ્યું હતું, કે જૂઠાણાં ફેલાવનારાઓને ખબર નથી કે વ્યવસ્થા શું હોય છે.
