સિદ્ધપુર સરસ્વતી નદીમાં તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Live TV
-
દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધપુરની સરસ્વતી નદીના તટ પર કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે મેળો યોજાનાર છે, જે 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે. જો કે, મેલો શરૂ થાય તે પહેલાં જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરવા માટે ઉમટી પડ્યા છે.
યાત્રિકોએ જણાવ્યું કે, મેલા દરમિયાન ભીડ અને ટ્રાફિકથી હેરાનગતિથી બચવા માટે તેઓ પહેલેથી જ આવી રહ્યા છે.
કારતક માસમાં માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં સ્વજનોના મોક્ષ માટે સરામણ વિધિ કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. કારતક સુદ સાતમથી લોકોનો ધસારો વધ્યો છે, અને દરરોજ આશરે 5 હજારથી વધુ શ્રદ્ધાળુઓ તર્પણ વિધિમાં ભાગ લઈ રહ્યા છે. યજમાન બ્રાહ્મણો માધુપાવડીયા ઘાટે મંડપ હેઠળ વિધિ કરાવતા જોવા મળે છે, જેમાં ગૌર મંડળના બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક તર્પણ વિધિ યોજાઈ રહી છે, જેના કારણે નદીનો પટ આધ્યાત્મિક માહોલ ધરાવે છે.
