સુરત નજીક પાંડેસરમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ, અગ્નિશામક દળની 25 ટીમ ઘટનાસ્થળે
Live TV
-
સુરત નજીક પાંડેસરા જીઆઇડીસીમાં શનિવારની રાત્રે ડાઇંદ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રે બે વાગ્યાની આસપાસ ડાઇંગ મિલનો સ્લેબ તૂટી ગયા બાદ આગ ફાટી નીકળી હતી. આગ પર કાબુ મેળવાય એ પહેલા બાજુની બીજી ડાઇંગ મિલ પણ આગમાં સપડાઈ હતી.
અગ્નિશામક દળની 25 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને પગલે મજૂરો મીલમાંથી બહાર દોડી આવતાં જાનહાનિ ટળી હતી. જો કે કેટલાક શ્રમિકો દાઝ્યા હતા તથા કેટલાકને ગૂંગળામણને કારણે શ્વાસ રુંધાવાની સમસ્યા થઈ હતી.આગને પગલે ઇમરજન્સીને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં તબીબો તથા નર્સિંગ સ્ટાફને એલર્ટ કરી દેવાયા હતા.
