સોમનાથઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગોરધન ઝડફિયાએ કર્યા મહાદેવના દર્શન
Live TV
-
દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. આજના આ પાવન પર્વ નિમીત્તે શિવાલયોમાં ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા શિવભક્તોની લાંબીલાંબી કતારો ભગવાનને શીશ ઝૂકાવતી જોવા મળી રહી છે.
આજના આ પાવન દિવસે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ પણ ભગવાન ભોળાનાથના ચરણમાં પોતાનું માથું નમાવ્યું હતું અને ભોલેનાથના આશીર્વાદ લીધાં હતાં. આ બન્ને નેતાઓએ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.
