અમદાવાદના સાણંદની આંગણવાડીમાં મહિલાઓએ મન કી બાત કાર્યક્રમ સાંભળવા કરી વિશેષ વ્યવસ્થા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મનકી બાત કાર્યક્રમ દ્વારા વાત કરી હતી. અમદાવાદના સાણંદ તાલુકાની આંગણવાડીમા પણ મન કી બાત કાર્યક્રમ સાંભળવા મહિલાઓએ વિશેષ વ્યવસ્થા કરી હતી. આજે પ્રધાનમંત્રીએ કુપોષણની વાત કરતા બાળકોને પ્રોટીન તેમજ વિટામીન યુક્ત આહાર માટે લોકભાગીદારીથી તિથી ભોજન કે પોતાના જન્મદિન નિમિત્તે પોષણક્ષમ આહાર આપવાની વ્યકત કરી હતી. આ અંગે લોકોએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સરકારના પ્રયત્નોથી કુપોષણ બાળમૃત્યુદર, ગર્ભવતિ મહિલા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.
