સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં દ્વિશતાબ્દિ મહોત્વની ભવ્યાતિભવ્ય ઉજવણી
Live TV
-
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં દ્વિશતાબ્દિ મહોત્વની ભવ્યાતિભવ્ય ઉજવણી
નડિયાદ તાલુકાના સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં હાલ દ્વિશતાબ્દિ મહોત્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મહોત્સવના બીજા દિવસે 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા છે. દેશ-વિદેશના હજ્જારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વિશતાબ્દિ મહોત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 5 રુપિયાની પોસ્ટલ ટિકીટ લોંચ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે સહભાગી થવાનો ખૂબ જ આનંદ છે. પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં શ્રદ્ધા અને અસ્થાના કેન્દ્રોમાં સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરુ કર્યો છે. વડતાલ ધામમાં ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.
