"હર ખેત કો પાની"ની તપાસ માટે નર્મદાના કાર્યવાહક ઈજનેર બ.કાં.ની મુલાકાતે
Live TV
-
નર્મદાના કાર્યવાહક ઈજનેર આર.બી.મારવિયા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવી અને તે અંતર્ગત સંલગ્ન વિભાગને અપાયેલી સૂચના નર્મદાના કાર્યવાહક ઈજનેર આર.બી.મારવિયા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.
તેમણે પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના કામલપુર ગામે "હર ખેત કો પાની" સૂત્ર મુજબ નર્મદા યોજના અંતર્ગત થયેલી UGPL યોજના અંતર્ગતની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું અને પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઇના ફાર્મ ની મુલાકાત લીધી હતી જ્યાં સેન્દ્રીય ખાતરનો પ્રયોગ, ઉપરાંત ખારેકની ખેતી, પશુપાલન અને ખેડૂત વેલ્યુએડ કરી કઈ રીતે આવક બમણી કરી શકે તેનું નિદર્શન કર્યું હતું.
