16 જૂનથી શરૂ થશે કૃષિ મહોત્સવ, સાથે પશુ આરોગ્ય મેળા પણ યોજાશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તાલુકા દીઠ એક કૃષી મહોત્સવના આયોજનને આખરી ઓપ અપાયો હતો. કૃષી મહોત્સવ સાથે પશું આરોગ્ય મેળા પણ તાલુકા મથકે યોજવાનો નિર્ણય કરાયો હતો.
તેમજ મહોત્સવના સફળ અમલીકરણ માટે સંબધિત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની કૃષીક્રાંતિની વિશ્વ ઓળખ સમાન કૃષી મહોત્સવ 2019ની રાજયવ્યાપી શૃંખલા 16 અને 17 જુન દરમીયાન યોજાશે.
