80મા સ્વતંત્રતા પર્વે લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કર્યું ધ્વજારોહણ
Live TV
-
દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજારોહણ કરી દેશના અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના અતુલનીય બલિદાનને કોટિ-કોટિ વંદન કર્યા હતા.
રાજ્યપાલએ દેશવાસીઓને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને સનિષ્ઠ સેવા-ભાવથી સામાજિક તથા રાષ્ટ્રીય કર્તવ્યોનું પાલન કરવા આહવાન કર્યું હતું.પ્રધાનમંત્રી મોદીના 'વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે સૌ નાગરિકોને એકજૂથ થઈને પોતાનું સર્વોત્કૃષ્ટ યોગદાન આપવા વિનંતી કરી હતી.પર્યાવરણ અને પ્રકૃતિ સંવર્ધન: આ ગૌરવશાળી પ્રસંગે રાજ્યપાલએ લોકભવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ રક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
