ABVPના 64માં અધિવેશનમાં ઉપરાષ્ટ્રપતિ રહ્યા ઉપસ્થિત
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું, કે વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ, ભારત ઝડપથી વિકાસ કરતો દેશ છે, જે કેન્દ્રની પ્રજાલક્ષી યોજનાનું પરીણામ છે.
ઉપરાષ્ટ્રપતિ ,એમ. વેંકૈયા નાયડુ , ગઈકાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે હતા./ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 64 મા અધિવેશનમાં , ખાસ હાજરી આપવા આવ્યા હતા. અધિવેશનને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું , કે વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ , ભારત ઝડપથી વિકાસ કરતો દેશ છે , જે કેન્દ્રની પ્રજાલક્ષી યોજનાનું પરીણામ છે. તેમણે સ્વચ્છ ભારત, બેટી બચાવો, આયુષમાન ભારત વગેરે યોજનાની સફળતાની વાત કરી હતી. આ અધિવેશનમાં ઉપરાષ્ટ્રપતિએ , ઝાલોરના શિક્ષક સંદિપ જોષીને , શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમના ઉત્તમ કાર્ય બદલ , એક લાખનું રોકડ ઈનામ, અને સન્નમાન પત્ર એનાયત કર્યા હતા
