CMએ પોરબંદરવાસીઓને સ્વચ્છ ભારતના શપથ લેવડાવ્યા
Live TV
-
પોરબંદરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરના શહેરીજનો તથા વિદ્યાર્થીઓને સ્વચ્છ ભારતના શપથ લેવડાવ્યા હતા. તેમણે પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ચાર ટ્રક પ્લાસ્ટિકનો કચરો ભરાવી તેમાંથી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરવા માટે ટ્રકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિજય રૂપાણી સાથે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તથા પોરબંદરના પ્રભારી જવાહરભાઈ ચાવડા કલેકટર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
