CM વિજયભાઈ રૂપાણીએ જાહેર સભાઓ ગજવી
Live TV
-
આજે મુખ્યમંત્રી આણંદમાં ચૂંટણી સભા ગજવશે
વડનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકસભા ચૂંટણી અંતર્ગત જાહેરસભાને સંબોધી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે વાત કરતા કહ્યું હતું કે, તેઓ એક સામાન્ય વ્યક્તિ હતા અને આજે દેશના પ્રધાનસેવક ગણાવ્યા હતા. આ સાથે કોંગ્રેસને આડે હાથ લેતા પોતાની આગવી છટાંમાં કોંગ્રેસ અને મહાગઠબંધન પર પ્રહારો કર્યા હતા. આ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટણના હારીજ ખાતે ચૂંટણી જનસભાને સંબોધન કર્યુ હતુ.પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર પ્રહાર કર્યા હતા. આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સહિત વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. આ પહેલા રાધનપુરમાં મુખ્યમંત્રીએ જાહેર સભા યોજી હતી
