PM મોદીએ ઉત્કૃષ્ટ નેતાગીરીના 20માં વર્ષમાં કર્યો પ્રવેશ, CMએ કહ્યું, 'ઐતિહાસિક દિવસ'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાજ્ય અને રાષ્ટ્રમાં શાસનને 19 વર્ષ પૂર્ણ કર્યા છે અને 20માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે રાજ્યમાં આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાત અને દેશભરની જનતા માટે ઐતિહાસિક દિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકેના ૧૯ વર્ષમાં નરેન્દ્રભાઇ મોદીએ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ નાબૂદ કરી દેશમાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે.
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના અડગ મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં દેશ તમામ મોરચે અગ્રેસર બની મજબૂત થઈ રહ્યો છે અને નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ આજે ભારત તરફ સકારાત્મકતાના ભાવથી જોઈ રહ્યું છે, ભારતના સામર્થ્યના દર્શન સમગ્ર વિશ્વને થઈ રહ્યા છે.
