VISVAS પ્રોજેક્ટઃ રાજ્યમાં 1256 જંકશન પર લાગશે 7000થી વધુ CCTV કેમેરા
Live TV
-
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે વિશ્વાસ પ્રોજેક્ટથી કાયદો-વ્યવસ્થા જળવાશે અને ગુનાખોરી પર નિયંત્રણ આવશે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.રાજ્યના ગૃહ વિભાગનો અતિ મહત્વનો પ્રોજેક્ટ "વિશ્વાસ"નો 11મી તારીખે રાજ્યવ્યાપી શુભારંભ થવાનો છે,. ત્યારે 315 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનું સરકારનું લક્ષ્ય છે.
પ્રોજેક્ટ "વિશ્વાસ" હેઠળ 1256 જંકશન પર સાત હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.જેમાં તમામ જિલ્લાઓ, 6 યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને આવરી લેવાશે.આ કેમેરાને 33 જિલ્લાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર "નેત્રંગ" સાથે જોડાશે.
