અતુલ કેશપે ભારતમાં અમેરિકાના નવા રાજદૂતનો કાર્યભાર સંભાળ્યો
Live TV
-
અતુલ કેશપે ભારતમાં અમેરિકાના નવા રાજદૂતનો કાર્યભાર સંભાળી લીધો છે. હાલમાં જ તેમણે શ્રીલંકા અને માલદીવમાં અમેરિકાના રાજદૂતના રૂપમાં કામ કર્યું હતું. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, ભારતીય મૂળના અમેરિકી નાગરિક અતુલ કેશપ ઘણા સમયથી રાજદ્વારી રહ્યા અને તેની નિયુક્તિથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં મદદ મળશે. અતુલ કેશપે કહ્યું કે, ભારતમાં અમેરિકી મિશનમાં કામ કરવું તેના માટે સન્માનની વાત છે..તેમને ભારતીય મૂળના અમેરિકી નાગરિક હોવા પર ગર્વ છે અને ભારત-અમેરિકા ભાગીદારીને મજબૂત કરવા માટે તેઓ કામ કરતા રહેશે.
