અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં 19ના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુખ
Live TV
-
રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 19 લોકોના મોત થયા છે.
અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામનારમાં શિખ રાજનેતા અવતાર સિંહ ખાલસા પણ સામેલ હતા. ખાલસા અફઘાનિસ્તાનના સંસદીય ચૂંટણીમાં ઉભા રહેલા એકમાત્ર શિખ ઉમેદવાર હતા. હિંદુઓ અને શિખોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં 19 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નદેન્દ્ર મોદીએ સોમવારે આ હુમલાની નિંદા કરતા મૃતકોના પરિવારોની સાથે સંવેદન વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કહ્યું, અમે રવિવારે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ. આ અફઘાનિસ્તાનની બહુસાંસ્કૃતિક સંરચના પર હુમલો છે. શોકગ્રસ્ત પરિવારોની સાથે મારી સંવેદનાઓ છે. હું પ્રાર્થના કરું કે ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થઈ જાઈ. અફઘાનિસ્તાનના આ દુખના ક્ષણમાં ભારત તેને સહોયગ કરવા માટે તૈયાર છે.
