અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર પ્રતિબદ્ધ
Live TV
-
વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરનનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે કોચીમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા મંત્રીએ કહ્યું કે, હવે જે લોકો પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે અને વિદેશ મંત્રાલયના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો છે તેમને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પહેલા, મંત્રીએ ફીલ્ડ આઉટરીચ બ્યુરો, એર્નાકુલમ દ્વારા આયોજિત કોરોના રસીકરણ અને કોરોના યોગ્ય વર્તણૂક અંગેના ડિજિટલ વાન જાગૃતિ અભિયાનને લીલી ઝંડી બતાવી હતી.
