અશરફ ગનીએ કર્યું અસ્થાઈ સંઘર્ષ વિરામનું એલાન
Live TV
-
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલીબાન સાથે તાજેતરના સંઘર્ષ વિરામના અસ્થાયી સંઘર્ષ બાદ અસ્થાઈ સંઘર્ષ વિરામનું એલાન કર્યું છે. જોકે ગનીએ ચેતવણી આપી છે કે, અસ્થાઈ સંઘર્ષ એક તરફી નથી અને તાલીબાન તેનું પાલન કરશે તો જ સંઘર્ષ વિરામ અમલી બનશે.
ટીવી ઉપર કરેલ સંબોધનમાં ગનીએ કહ્યું કે, પેગંમ્બર સાહેબના જન્મદિવસ સુધી સંઘર્ષ વિરામનું એલાન કરું છું. શરત એ છે કે, તેનું પાલન તાલીબાન પણ કરે. અફઘાનિસ્તાનમાં 21 નવેમ્બરે ઈદે મિલાદની ઉજવણી થશે. આ એલાન સમગ્ર અફઘાનિસ્તાનમાં સપ્તાહભર ચાલેલી લડાઈ બાદ કરાયું છે. તાલીબાને ગજની પ્રાંતની રાજધાની ઉપર હુમલો કર્યો હતો.
